G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 15/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1. ખેડૂત મહિલાઓ અને ભાઈઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: ખેડૂત પરિવારની મહિલાઓ, પુરુષો અને યુવાનો

2. ફૂલોની ખેતીને શું કહેવાય છે?
Answer: ફ્લોરીકલ્ચર

3. સ્થળાંતર કરનાર સૌથી વિનાશક જીવાત કઈ છે ?
Answer: રણની તીડ

4. અમૂલ ડેરીની કઈ વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા રાષ્ટ્રના ખેડૂતોને ડેરી સહકાર યોજના સમર્પિત કરવામાં આવી ?
Answer: 75મી વર્ષગાંઠ

5. ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ કેમ્પ દ્વારા વિનામૂલ્યે પશુ સારવાર આપવા માટે શેનું આયોજન કરવામાં આવે છે ?
Answer: પશુ આરોગ્ય મેળા

6. કયું અભિયાન વરસાદી પાણીની બચત અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: જલશક્તિ અભિયાન

7. ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 5મી સપ્ટેમ્બર

8. GSAT-15 સેટેલાઇટનો ઉપયોગ કરીને 24X7 ધોરણે ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવા માટે સમર્પિત 34 ડીટીએચ ચેનલોનું જૂથ કયું છે?
Answer: સ્વયં પ્રભા

9. નીચેનામાંથી કયું પુસ્તક શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા 16 વર્ષ અને 5 મહિનાની ઉમરે લખાયેલ છે?
Answer: મોક્ષમાલા

10. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષથી અમલી બની છે ?
Answer: 2017

11. AISHEનું પૂરું નામ શું છે?
Answer: ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન

12. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિભાશાળી બાળકો માટે મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતી નિવાસી શાળાઓને શું કહેવાય છે ?
Answer: નવોદય વિદ્યાલય

13. વડોદરામાં આવેલી નેશનલ રેલ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ (NRTI)નું નવું નામ શું છે?
Answer: ભારતીય ગતિશક્તિ યુનિવર્સિટી

14. વર્ષ 2022માં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ના અધ્યક્ષ કોણ છે?
Answer: ડૉ. અનિલ સહસ્રબુદ્ધે

15. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: શિક્ષક દિન

16. GSECLનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કૉર્પોરેશન લિમિટેડ

17. ‘કુટિર જ્યોતિ યોજના’ હેઠળ વીજ જોડાણ માટે અરજદારને કેટલો ખર્ચ ચૂકવવો પડે છે?
Answer: વિના મૂલ્યે

18. GERCનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન

19. રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ સબસિડી સ્કીમ-૨૦૨૨ માટે ઓનલાઇન અરજી કરવા માટેનું સત્તાવાર પોર્ટલ કયું છે ?
Answer:  https://solarrooftop.gov.in/

20. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે?
Answer: અંકલેશ્વર

21. BHELનું પૂરું નામ શું છે?
Answer: Bharat Heavy Electricals Limited

22. GSPLનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ

23. ગ્રાહકોની દૃષ્ટિએ જોઈએ તો જીએસટીનો સૌથી મોટો ફાયદો કયો છે ?
Answer: ચીજવસ્તુઓ પરના એકંદર કરબોજમાં ઘટાડો

24. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા’ અંતર્ગત 18થી 50ની ઉંમરનો વીમાધારક મૃત્યુ પામે તો તેના વારસદારને કેટલા લાખ રૂપિયા મળવાપાત્ર છે ?
Answer: Rs. 2 લાખ

25. ઇ-ગ્રામ પ્રોજેક્ટનો હેતુ કયો છે ?
Answer: ગામનાં તમામ પરિવારોના ડેટાની માહિતીનો રેકોર્ડ જાળવવો અને નાગરિકોને જરૂરી પ્રમાણપત્રો આપવાં

26. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી કયા શહેરમાં આવેલી છે ?
Answer: ગાંધીનગર

27. રેપોરેટ કોની સાથે સંબંધિત છે ?
Answer: રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસી

28. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
Answer: સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો

29. વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 15 માર્ચ

30. એપ્રિલ-2022ના માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: માન. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

31. 26 જાન્યુઆરી, 2022ના રોજ ભારત ડ્રોન મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?
Answer: દિલ્હી

32. ગાંધીનગરમાં ક્યાં વસંતોત્સવ ઉજવવામાં આવે છે ?
Answer: સંસ્કૃતિ કુંજ

33. તરણેતર મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવે છે ?
Answer: 3

34. ‘સાક્ષી ભાવ’ પુસ્તકના લેખક કોણ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

35. શહેરી વિસ્‍તાર માટે કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂ. 501/-થી ઓછી હોય તેવા કુટુંબને ગુજરાત સરકાર દ્વારા કયું કાર્ડ આપવામાં આવે છે ?
Answer: બી.પી.એલ.

36. ગુજરાતનો મુખ્ય પશુ વેપાર મેળો કયો છે ?
Answer: વૌઠા મેળો

37. ગુજરાતના કયા શહેરમાં બનતા હાથવણાટના પટોળા વિશ્વવિખ્યાત છે ?
Answer: પાટણ

38. ‘તીર્થંકર વન’ ક્યાં આવેલું છે ?
Answer: તારંગા

39. ધીમી ગતિથી વધતાં વૃક્ષોનું વાવેતર યોજના’નો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી, સામાજિક વનીકરણની કચેરીએથી

40. 2020ની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ છે ?
Answer: 674

41. વ્હેલ શાર્કના સંવર્ધન સ્થળ તરીકે હવે વૈશ્વિક સ્તરે કયું સ્થળ જાણીતું છે ?
Answer: સૌરાષ્ટ્રનો દરિયાકિનારો

42. ‘વિશ્વ સિંહ દિવસ’ કયા વર્ષથી ઉજવવામાં આવે છે ?
Answer: 2013

43. નળસરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: અમદાવાદ-સુરેન્દ્રનગર

44. ગુજરાતના પોરબંદર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: બરડા

45. EWSનું આખું નામ જણાવો ?
Answer: ઇકોનોમિકલી વિકર સેકશન (Economically weaker section)

46. ગુજરાતના કયા ભાગમાં સૂફી ભરતકામ કરવામાં આવે છે ?
Answer: કચ્છ

47. નીચેનામાંથી ઓઝોનના સ્તરના અવક્ષયની વિપરીત અસર કઈ છે ?
Answer: અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન વધારો

48. સુશાસન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 25 ડિસેમ્બર

49. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 7 એપ્રિલ

50. આરોગ્ય વિભાગથી સંબંધિત NHMનું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ હેલ્થ મિશન

51. નિરામય સહાય યોજના’ લોકોને શું પ્રદાન કરે છે ?
Answer: સુરક્ષા અને પ્રાથમિક સારવાર

52. નેશનલ મેન્ટલ હેલ્થ મિશનનો હેતુ કયો છે ?
Answer: સામાન્ય આરોગ્યસંભાળ અને સામાજિક વિકાસમાં માનસિક સ્વાસ્થ્ય જ્ઞાનના ઉપયોગને પ્રોત્સાહિત કરવો

53. નિરામય યોજના’નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
Answer: વિવિધ રોગો માટે તપાસ હાથ ધરવી અને તબીબી સહાય પૂરી પાડવી

54. કયા વિટામિનને સનસાઈન વિટામિન કહેવાય છે ?
Answer: વિટામીન D

55. નીચેનામાંથી કયો વિટામિન-Dનો સરળતાથી ઉપલબ્ધ થતો સ્ત્રોત છે ?
Answer: સૂર્યપ્રકાશ

56. હિપેટાઇટીસ-બી રોગની રસી કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: મિશન ઇન્દ્રધનુષ

57. માનવ શરીરમાં શાની માત્રા વધારે હોવાથી હાર્ટ અટેક આવે છે ?
Answer: કોલેસ્ટ્રોલ

58. કયા રોગથી યાદદાસ્ત કમજોર થાય છે ?
Answer: અલ્જાઈમર

59. રાષ્ટ્રીય કૃમિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 10 ફેબ્રુઆરી

60. ભારતમાં રૂ. 1 કરોડ સુધીનું રોકાણ અને રૂ. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને શું નામ આપવામાં આવે છે?
Answer: માઇક્રો એન્ટરપ્રાઇઝ

61. પ્રધાનમંત્રી મુદ્રા યોજના'(PMMY)નો લાભ કોને મળે છે ?
Answer: કિશોર

62. કયો દેશ વિશ્વમાં સેડલરી અને હાર્નેસનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે?
Answer: ભારત

63. નીચેનામાંથી કઈ કંપનીનો નવરત્ન કેટેગરી યુનિટમાં સમાવેશ થયેલ છે ?
Answer: ઓઇલ ઇન્ડિયા લિમિટેડ

64. જુન 2022 સુધીમાં કેટલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે?
Answer: 10

65. કઈ યોજના પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બિમા યોજના (PMJJBY) અને પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજના (PMSBY) હેઠળના હેન્ડલૂમ્સ વણકર/કામદારોને જીવન, અકસ્માત અને અપંગતા વીમા કવચ પ્રદાન કરી રહી છે ?
Answer: હેન્ડલૂમ વીવર્સ કોમ્પ્રેહેન્સિવ વેલ્ફેર સ્કીમ (HWCWS)

66. કયું પોર્ટલ સિંગલ વિન્ડો ઓનલાઈન પ્લેટફોર્મ છે જે ગુજરાતમાં કોઈપણ સંભવિત રોકાણકાર માટે સંપર્કના પ્રથમ મંચ તરીકે કામ કરે છે?
Answer: ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ

67. કયું સ્થળ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું ?
Answer: અમદાવાદ

68. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?
Answer: શ્રમ અને રોજગાર વિભાગ

69. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
Answer: 1, મે

70. ભારત સરકાર દ્વારા ઇ-શ્રમ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 26-08-2021

71. શ્રમયોગીનાં બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે ?
Answer: સ્પર્ધાત્મક તાલીમ યોજના

72. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ઇ-શ્રમ કાર્ડધારકોને કેટલા આંકડાનો યુનિક નંબર કાર્ડ પર આપવામાં આવે છે ?
Answer: 12

73. ગુજરાત રાજ્યના શ્રમયોગીઓનું પ્રધાનમંત્રી જનજીવન યોજનાનું પ્રિમીયમ કોણ ભરે છે ?
Answer: બાંધકામ શ્રમિક બોર્ડ, ગુજરાત રાજ્ય સરકાર

74. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક પરિવહન યોજના શું છે ?
Answer: શ્રમિકોને મુસાફરી માટે રાહત દરનો પાસ આપવો

75. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ બાંધકામ કામદારને કયા સ્થાનેથી ટિફિનની સુવિધા ઉપલબ્ધ થાય છે ?
Answer: કડિયાનાકાં

76. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીએ ભરેલ પ્રીમિયમની રકમ ઈન્‍કમટેક્ષની કઈ કલમ હેઠળ કપાત મળવાપાત્ર થાય છે ?
Answer: 80 સી

77. ‘જન શિક્ષણ સંસ્થા યોજના’ શરૂઆતના તબક્કે ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરતી હતી ?
Answer: માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)

78. મહીસાગર જિલ્લો 5 ઑગસ્ટ 2013ના રોજ કયા જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો હતો ?
Answer: ખેડા, પંચમહાલ

79. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

80. સંસદીય/વિધાનસભા મતવિસ્તાર માટે મતદાર યાદી તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે ?
Answer: ચૂંટણી નોંધણી અધિકારી

81. ભારતીય સંસદમાં સૌથી ટૂંકું સત્ર કયું હોય છે?
Answer: શિયાળુ

82. KYCનો અર્થ શું છે ?
Answer: તમારા ગ્રાહકને જાણો

83. જ્યોતિગ્રામ યોજના કયા રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે?
Answer: ગુજરાત

84. જળચક્રમાં વાદળો નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી બને છે?
Answer: ઘનીકરણ

85. આપેલ પાણીના નમૂનામાં ગંધના સંયોજનોની સાંદ્રતા નક્કી કરવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?
Answer: સ્ટ્રીપિંગ

86. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?
Answer: ધુવારણ

87. જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: કર્ણાટક

88. મિશન મંગલમ યોજના કયાં મૂલ્યો પ્રસ્થાપિત કરે છે?
Answer: માનવીય

89. સ્વામિત્વ (SVAMITVA) યોજનાનું પૂરું નામ જણાવો?
Answer: સર્વે ઑફ વિલેજીસ આબાદી ઍન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવઆઇઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજીસ એરિયાઝ

90. સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
Answer: 2014-15

91. ગુજરાતના ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારોની બહેનોને ‘સ્વસહાય જૂથો’માં સખી મંડળ સ્વરૂપે સંગઠિત કરીને પરિણામલક્ષી કામગીરી કઈ યોજના હેઠળ કરવામાં આવે છે?
Answer: મિશન મંગલમ્

92. પંચવટી યોજનાનો અમલ ગુજરાત રાજયમાં ક્યારથી કરવામાં આવ્યો છે ?
Answer: 2004-2005

93. દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી આપવા માટેની ગુજરાત સરકારની કિસાન સર્વોદય યોજના ક્યારે લાગુ કરવામાં આવી છે?
Answer: 24 ઓક્ટોબર, 2020

94. કઈ યોજનામાં સામુદાયિક ખેતીની સંપત્તિમાં રોકાણ માટે મધ્યમ-લાંબા ગાળાની નાણાકીય ધિરાણ આપવાની સુવિધા છે?
Answer: કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ

95. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?
Answer: સરપંચ

96. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 હેઠળ લાભાર્થી કેટલી વખત સબસિડી મેળવી શકે છે?
Answer: 1

97. કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે?
Answer: ભરૂચ

98. ભારતનું સૌથી મોટું ખાનગી બંદર કયું છે?
Answer: મુન્દ્રા

99. ભારતના વર્તમાન કેબિનેટ પરિવહન મંત્રી કોણ છે?
Answer: શ્રી નીતિન ગડકરી

100. અત્યાધુનિક લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથેનું ભારતનું સૌથી મોટું જાહેર માછલીઘર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
Answer: ગુજરાત સાયન્સ સિટી, સોલા

101. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જમીન સંપાદન કરવા માટે કયું ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: ભૂમિરાશિ પોર્ટલ

102. સરદાર સરોવર ડેમ ક્યાં આવેલો છે ?
Answer: કેવડિયા

103. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રી અટલ બિહારી વાજપેયી

104. સેતુ ભારતમ્ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

105. અમદાવાદમાં નારણપુરા રમતગમત સંકુલનો શિલાન્યાસ કોણે કર્યો ?
Answer: શ્રી અમિતભાઈ શાહ

106. જ્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

107. ગુજરાતમાં કેવડીયા ખાતે બનાવવામાં આવેલ રેલવે સ્ટેશનનું નામ શું છે ?
Answer: એકતા નગર

108. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
Answer: ઓગષ્ટ, 2014

109. પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના કયા રાજ્યના યુવાનોની ક્ષમતાઓ વિકસાવવા માટે છે?
Answer: જમ્મુ અને કાશ્મીર

110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ દિવસની ઉજવણી પર બંધારણના સંદર્ભમાં KYCનો ઉલ્લેખ કયા અર્થમાં કર્યો ?
Answer: નો યોર કૉન્સ્ટિટ્યૂશન

111. પ્રધાનમંત્રીના આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ ભારતના નાગરિકોને કયું કાર્ડ આપવામાં આવે છે?
Answer: હેલ્થ આઈડી કાર્ડ

112. ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?
Answer: જનરલ સેમ માણેકશા

113. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ લેવા માટે લગ્ન થયાના કેટલા સમયમાં અરજી કરવાની હોય છે?
Answer: બે વર્ષમાં

114. વિશ્વ યોગ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી?
Answer: 21 જૂન 2015

115. સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો લાભ કઈ કંપની લઇ શકે છે?
Answer: રજીસ્ટર્ડ પાર્ટનરશીપ/પ્રાઇવેટ લિમિટેડ કંપની અને લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપમાં કામ કરનાર કંપની

116. નવજાત શિશુઓનાં આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટે કઈ યોજના ભારત સરકારે અમલમાં મૂકી છે ?
Answer: પ્રધાનમંત્રી માતૃવંદના યોજના

117. મમતા તરૂણી યોજના’નો લાભ કયા વયજૂથની કિશોરીઓને મળે છે ?
Answer: 10-19 વર્ષ

118. 0 થી 5 વર્ષનાં બાળકો, કિશોરી અને સગર્ભાઓ તેમજ ધાત્રી માતાઓનાં આરોગ્ય અને પોષણ સ્તરની ચકાસણી કયા દિવસે કરવામાં આવે છે ?
Answer: મમતા દિવસ

119. ગુજરાતમાં ‘મહિલા અને બાળ વિકાસ વિભાગ’ની અલગથી રચના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

120. પોષણ અભિયાન હેઠળ ‘પૂર્ણા’ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

121. ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
Answer: હોમાય વ્યારાવાલા

122. નારીશક્તિ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
Answer: મુક્તાબેન ડગલી

123. ગુજરાતની પ્રથમ મહિલા સંગીતકાર કોણ છે ?
Answer: સરસ્વતી દેવી

124. બી. એસ. એફ.માં પ્રથમ ગુજરાતી મહિલા ડૉક્ટર કોણ છે ?
Answer: ડૉ. ઉર્વી પેથાપરા

125. રાષ્ટ્રીય બાળ દિન’ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
Answer: 14 નવેમ્બર

126. 
.કોરોના સંબંધિત એક અભિયાનની ઐતહાસિક સિધ્ધિની વાત પ્રધાનમંત્રી ઉપરોક્ત વીડિયોમાં કરી રહ્યા છે તો આ અભિયાનની શરૂઆત ક્યારે થઈ હતી ?
Answer: 16 જાન્યુઆરી, 2021

127. 
.એક અભિયાનની ઐતહાસિક સિધ્ધિની વાત પ્રધાનમંત્રી ઉપરોક્ત વીડિયોમાં કરી રહ્યા છે તો વિશ્વનું સૌથી મોટું આવું અભિયાન ચલાવનાર દેશોમાં ભારત કયા ક્રમે છે ?
Answer: પ્રથમ

Sharing Is Caring:

Leave a Comment